UPમાં ધુમ્મસને કારણે રોડવેઝની બસ ટેન્કર સાથે અથડાઈ 8નાં મોત, 25 ઈજાગ્રસ્ત
ઉત્તરપ્રદેશના સંભલ જિલ્લામાં બુધવારે સવારે એક પૂરઝડપે રોડવેઝની બસ અને ટેન્કર અથડાયાં હતાં, જેમાં બસમાં સવારમાંથી આઠ લોકોનાં મોત થયાં છે, 25 યાત્રી ઘાયલ થયા છે, જેમાંથી ઘણાની હાલત નાજુક હોવાનું સામે આવી રહ્યું છે. મોતનો આંકડો વધી શકે છે. દુર્ઘટના મુરાદાબાદ-આગરા નેશનલ હાઈવે પર ધનારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે.
એમ કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માત ધુમ્મસને કારણે થયો છે. બસ ચંદૌસીથી મુસાફરોને લઈને અલીગઢ જઈ રહી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે ટેન્કર બસને ચીરે બીજી તરફ નીકળ્યું હતું. એને પગલે બસનો અડધો ભાગ તૂટીને રોડ પર પડ્યો હતો. અવાજ સાંભળીને સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચ્યા અને રાહતકાર્યમાં લાગી ગયા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટના બાબતે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે અધિકારીઓને પીડિતોની શક્ય એટલી તમામ મદદ કરવાના નિર્દેશ આપ્યા છે.
અવાજ સાંભળીને સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા અને રાહત કામગીરીમાં લાગી ગયા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે અધિકારીઓને પીડિતોની શક્ય દરેક મદદ કરવાનો આદેશ આપ્યો છે.
Tags Banaskantha Gujarat india