ઘણા દાયકાઓ સુધી સત્તામાં રહેનારા હવે ખેડૂતોને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમની સાથે ખોટું બોલી રહ્યા છેઃ નરેન્દ્ર મોદી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ખેતી સાથે જોડાયેલા બિલ અંગે થયેલા હોબાળા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું હતું કે સંસદમાં પાસ થયેલાં ઐતિહાસિક બિલોથી ખેડૂતોને સુરક્ષા મળશે. જે ઘણા દાયકાથી સત્તામાં રહ્યા તે ખેડૂતોને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છે, એગ્રિકલ્ચર બિલો વિશે ખેડૂતોને ખોટું કહી રહ્યા છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે ખેડૂતને બધી ખબર છે. તે જોઈ શકે છે કે વચેટિયાઓને સાથ કોણ આપી રહ્યું છે. આપણી સરકાર ખેડૂતોને તેમનાં ઉત્પાદનનો યોગ્ય ભાવ અપાવવા માટે પ્રતિબદ્ધ છે. NDA સરકારે છેલ્લાં 6 વર્ષમાં ખેડૂતો માટે જેટલું કામ કર્યું, એટલું કોઈ બીજી સરકારે નથી કર્યું.

મોદીએ કહ્યું હતું, હું દેશભરના ખેડૂતોને આ બિલ માટે શુભેચ્છા પાઠવું છું. ખેડૂત અને ગ્રાહક વચ્ચે જે વચેટિયા હોય છે, જે ખેડૂતોની કમાણીનો મોટો હિસ્સો પોતે લઈ લે છે, એને બચાવવા માટે આ બિલ લાવવા ઘણાં જરૂરી હતાં. ખેડૂતોને તેમની ઊપજ દેશમાં ક્યાંય પણ કોઈને પણ વેચવાની આઝાદી આપવી, ઐતિહાસિક પગલું છે. 21મી સદીમાં ભારતનો ખેડૂત બંધનમાં નહીં, ખૂલીને ખેતી કરશે. જ્યાં મન ફાવે ત્યાં પોતાનું ઉત્પાદન વેચી શકશે. તેને કોઈ વચેટિયાના આધારે નહીં રહેવું પડે અને પોતાની ઊપજ અને આવક પણ વધારી શકશે.

તેમણે વધુમાં કહ્યું હતું કે અમારી સરકાર ખેડૂતોને સમર્થન મૂલ્ય (MSP) દ્વારા યોગ્ય ભાવ અપાવવા માટે પ્રતિબદ્ધ છે. અમે આના માટે પહેલાં પણ હતા, આજે પણ છીએ અને આગળ પણ રહીશું. સરકારી ખરીદ પણ પહેલાંની જેમ ચાલું રહેશે. હવે એવો ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે સરકાર ખેડૂતોને ટેકાના ભાવનો લાભ નહીં આપે. એવી પણ અફવાઓ ફેલાવાઈ રહી છે કે ખેડૂતો પાસેથી ધાન,ઘઉં જેવા અન્ય પાકોની ખરીદી સરકાર નહીં કરે. આ બધું એકદમ ખોટું છે. ખેડૂતો સાથે દગો છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.