છ કરોડ જેટલા ખાતાધારકોને EPF 8.5% વ્યાજ બે તબક્કામાં ચુકવશે
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ) એ બુધવારે છ કરોડ જેટલા ખાતાધારકોને નાણાકીય વર્ષ 2019-20 માટે પ્રોવિડેન્ટ ફંડ પર નક્કી વ્યાજની આંશિક ચુકવણી કરવાનો નિર્ણય લીધો હતો.
એક સૂત્રએ જણાવ્યું હતું કે ઈપીએફ પર 8.50 ટકાના દરમાંથી હાલ 8.15 ટકા વ્યાજની ચુકવણી કરવાનો નિર્ણય બુધવારે મળેલી ટ્રસ્ટની બેઠકમાં લેવાયો છે. સૂત્રોએ કહ્યું કે બાકીના 0.35 ટકા વ્યાજની ચુકવણી ચાલુ વર્ષના ડિસેમ્બર સુધીમાં ખાતાધારકોના ઈપીએફ ખાતામાં કરી દેવાશે.