રાજીવ ગાંધી ફાઉન્ડેશનના ફંડિંગની તપાસ થશે : ગૃહ મંત્રાલયે બનાવી કમિટી

રાષ્ટ્રીય
rajiv-gandhi-foundation-
રાષ્ટ્રીય

ન્યુ દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજીવ ગાંધી ફાઉન્ડેશન એન્ડ ચેરિટિબલ અને ઈÂન્દરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટની તપાસના આદેશ આપ્યા છે. હોમ મિનિસ્ટ્રીએ તેના માટે એક ઈન્ટર મિનિÂસ્ટ્રયલ કમિટિ પણ બનાવી છે. જે કોઓર્ડિનેશન કરશે. તપાસનું નેતૃત્વ ઇડીના એક સ્પેશ્યલ ડિરેક્ટર કરશે. આ વખતે ગાંધી પરિવાર સાથે જાડાયેલા આ બન્ને ટ્રસ્ટે નિયમોનું ઉલ્લંઘન તો નથી કર્યુંને તેની તપાસ કરાશે. થોડા દિવસ પહેલા ભાજપે આરોપ લગાવ્યો હતો કે રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીની દૂતાવાસ દાન મળ્યું હતું.
રિપોટ્‌ર્સના જણાવ્યા પ્રમાણે, કુલ ત્રણ ટ્રસ્ટોની તપાસ કરાવવામાં આવશે. જેમાં રાજીવ ગાંધી ફાઉન્ડેશન, રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ અને ઈÂન્દરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટ સામેલ હશે. આરોપ છે કે આ ટ્રસ્ટોએ નિયમોનું ઉલ્લંઘન કર્યુ છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ અને ઈનકમ ટેક્સના નિયમોને પણ તોડવાનો આરોપ છે.
મળતી માહિતી પ્રમાણે, એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરના એક સ્પેશ્યલ ડાયરેક્ટર આ તપાસ ટીમનું નેતૃત્વ કરશે. થોડા દિવસ પહેલા ભાજપના રાષ્ટય અધ્યક્ષ જેપી નડ્ડાએ આરોપ લગાવ્યો હતો કે રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીન પાસેથી ફાળો મળ્યો હતો. કોંગ્રેસે આ આરોપોને ફગાવતા  હતું કે, ભાજપ ચીન સાથે ચાલી રહેલા સીમા વિવાદ મુદ્દા પરથી ધ્યાન હટાવવા માટે આ પ્રકારના આરોપ લગાવી રહ્યો છે.
પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના લક્ષ્યોને આગળ વધારવા માટે ૨૧ જૂન ૧૯૯૧ના રોજ સોનિયા ગાંધીએ તેની શરૂઆત કરી હતી. ફાઉન્ડેશન એજ્યુકેશન, સાયન્સ એન્ડ ટેક્નોલોજીને પ્રોત્સાહિત કરવા શોષિત અને દિવ્યાંગોના એમ્પાવરમેન્ટ માટે કામ કરતું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.