રાધિકા બનશે અનંતની દુલ્હન, 8 વાગ્યે થશે વરમાળા સેરેમની
એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી આજે રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાશે. મીડિયામાં પ્રાપ્ત માહિતી અનુસાર, શોભાયાત્રા બપોરે 3 વાગ્યે મુંબઈના BKCમાં Jio વર્લ્ડ સેન્ટર ખાતે એકત્ર થશે. સૌ પ્રથમ પાઘડી બાંધવાની વિધિ કરવામાં આવશે. આ પછી ‘મિલન’ સમારોહ થશે. ‘મિલની’ સમારોહ બાદ રાત્રે 8 વાગ્યે વરમાળા થશે. લગન, સાત ફેરા અને સિંદૂર દાનની વિધિ રાત્રે 9.30 કલાકે શરૂ થશે. યુનાઇટેડ કિંગડમના ભૂતપૂર્વ પીએમ બોરિસ જોન્સન, આંતરરાષ્ટ્રીય મોડલ કિમ કાર્દાશિયન અને સેમસંગના સીઇઓ હેન જોંગ-હી લગ્નમાં હાજરી આપવા માટે ગઈકાલે રાત્રે મુંબઈ પહોંચ્યા હતા. આ સિવાય ગુરુવારે બપોરે બંગાળના સીએમ મમતા બેનર્જી અને ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા પણ પતિ નિક જોનાસ સાથે મુંબઈ પહોંચ્યા હતા. મોડી રાત્રે સેમસંગના સીઈઓ હેન જોંગ-હી પણ અનંત-રાધિકાના લગ્નમાં હાજરી આપવા મુંબઈ પહોંચ્યા હતા. તો ચાલો જાણીએ લગ્ન સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો.
અનંત-રાધિકાના લગ્નમાં હાજરી આપવા માટે પૂર્વ બ્રિટિશ પીએમ બોરિસ જોનસન પણ ભારત પહોંચ્યા હતા અને તેઓ કાલીના એરપોર્ટ પર જોવા મળ્યા હતા.