PM મોદીએ બદલ્યો પ્રોફાઇલ ફોટો, કરોડો દેશવાસીઓને કરી અપીલ, જાણો કારણ

ગુજરાત
ગુજરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હર ઘર ત્રિરંગા ઝુંબેશમાં સામેલ થતાં પોતાનો પ્રોફાઇલ ફોટો બદલ્યો છે. તેણે પોતાના પ્રોફાઇલ પિક્ચરમાં ત્રિરંગાનો ફોટો મૂક્યો છે. સ્વતંત્રતા દિવસ પહેલા તેમણે કરોડો દેશવાસીઓને આવું કરવાની અપીલ કરી છે. પોતાનો પ્રોફાઈલ ફોટો બદલવાની સાથે તેણે લખ્યું, “જેમ જેમ આ વર્ષે સ્વતંત્રતા દિવસ નજીક આવી રહ્યો છે, ચાલો આપણે બધા સાથે મળીને હર ઘર તિરંગા અભિયાનને એક યાદગાર જન ચળવળ બનાવીએ. હું મારો પ્રોફાઈલ ફોટો બદલી રહ્યો છું અને હું તમને બધાને આવું કરવા વિનંતી કરું છું. તમે પણ અમારા ત્રિરંગાની ઉજવણીમાં મારી સાથે જોડાઓ અને હા, તમારી સેલ્ફી https://harghartiranga.com પર શેર કરો.

અન્ય એક ટ્વિટમાં પીએમ મોદીએ ભારત છોડો આંદોલન વિશે પણ વાત કરી છે, જે દેશની આઝાદીમાં સીમાચિહ્નરૂપ સાબિત થયું હતું. પીએમ મોદીએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેમણે આંદોલન વિશે માહિતી આપી છે. આ વિડિયો શેર કરતાં તેમણે લખ્યું, “બાપુના નેતૃત્વમાં ભારત છોડો આંદોલનમાં ભાગ લેનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ. આ ખરેખર આપણા સ્વાતંત્ર્ય સંગ્રામની એક મહત્વપૂર્ણ ક્ષણ હતી.”

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.