એક ભારત, શ્રેષ્ઠ ભારતનું પ્રેરણા સ્થળ રહ્યું છે બંગાળ: મોદી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

વિશ્વભારતી વિશ્વ વિદ્યાલયના દીક્ષાંત સમારોહમાં પી.એમ.નું વર્ચ્યુઅલી સંબોધન

વડાપ્રધાન મોદી આજે વિશ્વ ભારતી વિશ્વ વિદ્યાલયના દીક્ષાંત સમારોહમાં વિડીયો કોન્ફરન્સીંગથી સામેલ થયા હતા. આ દરમિયાન તેમણે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર અને વિશ્વ ભારતી વિશ્વવિદ્યાલયના મહત્વને લઈને વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આવનારા સમયમાં વિશ્વ ભારતી વિશ્વ વિદ્યાલયે દેશની શિક્ષણ સંસ્થાઓનું નેતૃત્ય કરવું જોઈએ.વડાપ્રધાને જણાવ્યું હતું કે ભારતમાં માનવતા, આત્મીયતા,વિશ્વ કલ્યાણની ભાવના કણ કણમાં છે. તેનો અહેસાસ બાકી દેશોને કરાવવા માટે વિશ્વ ભારતીએ દેશની શિક્ષણ સંસ્થાઓનું નેતૃત્વ કરવું જોઈએ.

વડાપ્રધાને જણાવ્યું હતું કે ભારતમાં માનવતા, આત્મીયતા, વિશ્વ કલ્યાણની ભાવના કણ કણમાં છે. તેનો અહેસાસ બાકી દેશોને કરાવવા માટે વિશ્ર્વ ભારતીએ દેશની શિક્ષણ સંસ્થાઓનું નેતૃત્વ કરવું જોઈએ. વડાપ્રધાને જણાવ્યું હતું કે વિશ્વ ભારતી પોતે જ જ્ઞાનમાં ઉન્મુક્ત સમંદર છે, જેનો પાયો અનુભવ આધારીત શિક્ષણ માટે લખાયો હતો. આ તકે મોદીએ બંગાળને લઈને નિવેદન આપ્યું હતું કે બંગાળે અતીતમાં ભારતના સમૃદ્ધ જ્ઞાન વિજ્ઞાનને આગળ વધારવામાં દેશનું નેતૃત્વ કર્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.