![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/10/chatpal_1603788882.jpg)
હવે જમ્મુ-કાશ્મીરમાં કોઈપણ વ્યક્તિ જમીન ખરીદી શકશે
જમ્મુ-કાશ્મીરમાં હવે દેશનો કોઈપણ વ્યક્તિ જમીન ખરીદી શકે છે અને ત્યાં સ્થાયી થઈ શકે છે. ગૃહ મંત્રાલય દ્વારા મંગળવારે આ અંતર્ગત નવી સૂચના જાહેર કરવામાં આવી છે. જો કે, ખેતીની જમીન પર પ્રતિબંધ ચાલુ રહેશે.
બહારના લોકો પણ ત્યાં જમીન ખરીદીને ત્યાં પોતાનું કામ શરૂ કરી શકે છે
જમ્મુ- કાશ્મીરના ઉપરાજયપાલ મનોજ સિન્હાએ જણાવ્યુ હતું કે, અમે ઈચ્છીએ છીએ કે બહારની ઈન્ડસ્ટ્રી જમ્મુ કાશ્મીરમાં આવે, તે માટે ઈન્ડસ્ટ્રીયલ માટે જમીનની જરૂરિયાત હોવાથી હવે કોઈપણ વ્યક્તિ જમ્મુ કાશ્મીરમાં જમીન ખરીદી શકે છે. જમીન ખરીદી શકે છે. જો કે ખેતીની જમીન ફ્ક્ત રાજ્યના લોકો માટે જ રહેશે.
આપને જણાવી દઈએ કે અગાઉ ફક્ત જમ્મુ-કાશ્મીરમાં ફ્ક્ત ત્યાનાં રહેવાસી જ જમીન ખરીદી અને વેચી શકતા હતા. પરંતુ હવે બહારના લોકો પણ ત્યાં જમીન ખરીદીને ત્યાં પોતાનું કામ શરૂ કરી શકે છે.
કેન્દ્રીય ગૃહમંત્રાલયે આ નિર્ણય જમ્મુ-કાશ્મીર પુનરચના કાયદા હેઠળ લીધો છે, જે અંતર્ગત કોઈપણ ભારતીય હવે જમ્મુ-કાશ્મીરમાં કોઈ ફેક્ટરી, મકાન અથવા દુકાન માટે જમીન ખરીદી શકે છે. આ માટે, સ્થાનિક રહેવાસી હોવાના કોઈ પુરાવા આપવાની જરૂર રહેશે નહીં.
મહત્વનું છે કે જમ્મુ-કાશ્મીરને ગયા વર્ષે જ કલમ 37૦થી મુક્તિ આપવામાં આવી છે, ત્યારબાદ 31 ઓક્ટોબર, 2019ના રોજ જમ્મુ-કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયો હતો. હવે કેન્દ્રશાસિત પ્રદેશ હોવાના એક વર્ષ પૂરા થવા પર જમીનના કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો છે.