MSMEને ૨૦ હજાર કરોડ લોનનો પ્રસ્તાવ મંજૂર, ખેડૂતોને ૩ લાખ સુધીની લોનમાં ૨ ટકા વ્યાજ છૂટ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હી. મોદી કેબિનેટ બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ ગઈ છે. ખેડૂત અને ઉદ્યોગ અંગે ઘણા મહત્વના નિર્ણય લેવાયા છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, સ્જીસ્ઈને ૨૦ હજાર કરોડની લોનના પ્રસ્તાવને મંજૂરી આપી દેવાઈ છે, જેનાથી નોકરીને તક વધશે. કેબિનેટના નિર્ણયથી કરોડો ખેડૂતોનું ભલુ થશે.

મળતી માહિતી પ્રમાણે, પીએમ આવાસ પર આર્થિક મામલાઓ અંગે કેબિનેટ કમિટિ અને સુરક્ષા પર કેબિનેટ કમિટિની મિટિંગ પણ થઈ શકે છે. આ બન્ને બેઠકોમાં આર્થિક મુદ્દે લદ્દાખમાં ચીનની હરકતો અંગે ચર્ચા થઈ શકે છે.
૩૧મે ના રોજ લોકડાઉનનો ચોથો તબક્કો ખતમ થઈ ગયો છે. આજથી અનલોક-૧ શરૂ થઈ ગયું છે. હવે એકથી બીજા જિલ્લા અથવા રાજ્યમાં જવા માટે ઈ-પરમિટની જરૂર નહીં પડે. હવે રાતે ૯ વાગ્યાથી સવારે ૫ વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. પહેલા સાંજે ૭ વાગ્યાથી સવારે ૭ વાગ્યા સુધી પ્રતિબંધ હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.