MP Crime: મૃત્યુ પહેલાં જણાવ્યું હત્યારાનું નામ, જાણો ઘટનાની સમગ્ર વિગત
મૃત્યુ પહેલાંનો આ એક કૉલ, જેમાં ઝેર પીવડાવનારનું લીધું નામ, મરતા પહેલા મોબાઈલનાં વીડિયો કેમેરા સામે વારંવાર બોલ્યું નામ….જી હાં. મધ્ય પ્રદેશનાં ખંડવા જિલ્લામાં એક વ્યક્તિએ તેનાં મૃત્યું પહેલાં હત્યારાનું નામ જણાવ્યું હતું. વ્યક્તિએ ફોન પર જણાવ્યુ કે તેને કોઇએ ઝેર પીવડાવ્યું છે. સાથે જ વીડિયો રેકોર્ડિંગ પણ કર્યું. હવે પોલીસ આ ફોન કૉલનાં અને વીડિયોનાં આધારે હત્યારાની શોધખોળ કરી રહી છે.
જણવી દઇએ કે પંધાના પોલીસ ક્ષેત્રમા નંદરામ પટેલ નામનાં વ્યક્તિની શંકાસ્પદ મોત થયું છે. કુમઠીમાં કેનાલનાં કિનારે મરતા પહેલા તેણે તેના ભત્રીજાને ફોન કર્યો હતો. ફોન પર કહ્યું, “પોલીસને જાણ કરો, ઉમાશંકર નામનાં વ્યક્તિએ જંતુનાશક દવા પીવડાવી છે”. આ વાતચીતનો ઓડિયો પણ સામે આવ્યો છે.
જ્યારે તેના પરિવારજનો ઘટનાં સ્થળે પહોંચ્યા તો મરતા પહેલા વીડિયોમા આપેલાં નિવેદનમાં પણ આ જ વાત કહી છે જે તેણે ફોન કૉલ પર કહી હતી. તેનાં પરીવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા, ત્યાં તેણે અંતિમ શ્વાસ લીધો. મૃતકનો ભત્રીજો આશિશ પટેલ અને જીતેન્દ્ર પટેલે જણાવ્યું કે નંદરામે ઉમાશંકર મહાજનને લોડીંગ વાહન વેચ્યું હતું, જેની લેવડદેવડ રૂ. 1.5 લાખની હતી.
મૃતકના ભત્રીજાએ જણાવ્યુ કે ઉમાશંકર પાસેથી પૈસા લેવાના હતાં, જેનાં માટે રાઉમાં કામ કરનારા મારા કાકા અહીં આવ્યાં હતાં. આ દરમિયાન આ ઘટનાં બની હતી. ફોન કરીને કાકાએ જ જણાવ્યુ કે ઉમાશંકરે જંતુનાશક દવા પીવડાવી છે. કાકાનો ફોન આવ્યો હતો કે જલ્દી આવી જાઓ મને ઉમાશંકરે ઝેર પીવડાવી દીધું છે. કેનાલની પાસે સૂમસામ જગ્યા પર મારી ગાડી પણ ફસાઈ ગઈ છે.
એનાં પછી અમે લોકોએ કાકાને શોધીને હોસ્પિટલ પહોંચાડ્યા પરંતું તેમનું મૃત્યું થઈ ગયું. પોલીસ આ ઘટનાંની તપાસ કરી રહી છે. ઓડિયો અને વીડિયોને આધાર આપવામાં આવશે તો પીએમ રિપોર્ટ અનુસાર મોતનું કારણ સામે આવી જશે. ખંડવા એસપી સત્યેન્દ્ર કુમાર શુક્લએ જણાવ્યું છે કે બધી બાબતો પર તપાસ ચાલુ છે. ઝેરની શંકા છે. એટલા માટે કેમિકલ ટેસ્ટ પણ કરવામાં આવશે. સંબંધીઓના નિવેદનો લેવામાં આવશે અને કેસની કડીઓ જોડવામાં આવશે.