જયપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમ દરમિયાન ચાકુ લાકડીઓથી હુમલો ઘણા લોકો ઘાયલ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

જયપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક કાર્યક્રમ દરમિયાન ચાકુ અને લાકડીઓથી થયેલા હુમલામાં ઘણા લોકો ઘાયલ થયા છે. આ ઘટના ગુરુવારે મોડી રાત્રે બની હતી જ્યારે શરદ પૂર્ણિમાના અવસરે જયપુરના કરણી વિહારમાં ખીર વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

આ દરમિયાન છરી અને લાકડીઓ લઈને આવેલા કેટલાક અજાણ્યા લોકોએ સંઘ ના કાર્યકરો પર હુમલો કર્યો હતો.  હુમલામાં 7 થી 8 કાર્યકરો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. ઘાયલોની જયપુરની સવાઈ માન સિંહ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. રાજસ્થાન સરકારના કેબિનેટ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ, ધારાસભ્ય ગોપાલ શર્મા અને અન્ય લોકો ઘાયલોની ખબર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા હતા.

આ અંગે ડીસીપી અમિત કુમારે જણાવ્યું હતું કે, આ ઘટનામાં સાતથી આઠ લોકો ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે એસએમએસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. રાજસ્થાનમાં કાયદાનું શાસન રહેશે. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.