Maharashtra: મહારાષ્ટ્રમાં બે બસો વચ્ચે ભીષણ અકસ્માત, 2 મહિલા સહીત 6 લોકોનાં મોત

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં શનિવારે વહેલી સવારે બે ખાનગી બસો અથડાઈ હતી. આ અકસ્માતમાં બે મહિલા સહિત છ લોકોના મોત થયા હતા. આ દરમિયાન 21 અન્ય લોકો ઘાયલ થયા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ અકસ્માત જિલ્લાના મલકાપુર શહેરમાં ફ્લાયઓવર પર સવારે 2.30 વાગ્યે થયો હતો.

કેવી રીતે થયો અકસ્માત?

અધિકારીના જણાવ્યા અનુસાર અકસ્માતનો ભોગ બનેલી બસમાંથી એક બસ અમરનાથ યાત્રા બાદ હિંગોલી જઈ રહી હતી જ્યારે બીજી ખાનગી બસ નાસિક તરફ જઈ રહી હતી. બસે એક ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સામેથી બીજી બસ આવીને અથડાઈ હતી.

અધિકારીએ જણાવ્યું કે બે મહિલાઓ સહિત છ લોકો માર્યા ગયા અને 21 લોકો ઘાયલ થયા છે. જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને કારણે થોડા સમય માટે રોડ પરનો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.