જમ્મુ કાશ્મીરમાં એલઓસી પર પાકિસ્તાને મોટા પાયે ફાયરિંગ કરતા આર્મીના ત્રણ જવાન શહીદ,5 ઘાયલ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

જમ્મુ કાશ્મીરમાં એલઓસી પર પાકિસ્તાને મોટા પાયે ફાયરિંગ કરતા આર્મીના ત્રણ જવાન શહીદ થયા છે, જ્યારે પાંચ ઘાય.લ થયા છે. આર્મીના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જવાન પાકિસ્તાનની આ કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપી રહ્યાં છે.
રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે ઉત્તરી કાશ્મીરમાં કુપવાડા જિલ્લાના નૌગામ સેકટરમાં ગુરૂવારે સવારે પાકિસ્તાની સેનાએ મોર્ટાર છોડ્યા. જેમાં બે સૈનિક શહીદ અને ચાર ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્ત જવાનોને આર્મીની હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. હજુ સુધી તે સ્પષ્ટ નથી થયું કે જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાન આર્મીને કેટલું નુકસાન થયું છે.

આ પહેલાં, પુંછ સેકટરમાં પાકિસ્તાનની સેનાએ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યુ. જેમાં એક જવાન શહીદ અને એક જવાન ઘાયલ થઈ ગયા. છેલ્લાં આઠ મહિનામાં પાકિસ્તાને એલઓસી પર 3,000થી વધુ વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ છે, જે છેલ્લાં 17 વર્ષમાં સૌથી વધુ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.