જેમાં થોડાં એક પોતાને અન્યો કરતા મહાન માને ભારત તેવી વૈશ્વિક વ્યવસ્થામાં માનતું નથી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે અહીં મળી રહેલા ઇન્ડો પેસિફીક રિજીનલ ડાયલોગમાં સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે, ‘ભારત તેવી વિશ્વ વ્યવસ્થામાં માનતું નથી કે જેમાં માત્ર થોડા એક જ પોતાને અન્યો કરતા મહાન માને.’ આ સાથે સંરક્ષણ મંત્રીએ ભારતની પ્રાચીન સંસ્કૃતિની યાદ આપતા કહ્યું હતું કે, ભારતના પગલા માનવ, સમાનતા અને ગૌરવને લક્ષ્યમાં રાખી લેવાય છે તે અમારા પ્રાચીન સિદ્ધાંતોમાં પણ જણાવવામાં આવ્યું છે.
તેઓએ વધુમાં જણાવ્યું કે, ભારતે હંમેશા સલામતી અને સમૃદ્ધિને સામુહિક પ્રયાસોના ભાગરૂપે જ જોઈ છે જે સમગ્ર માનવ જાત માટે હોઈ શકે. હું તો ‘નિશ્ચિત’ રીતે માનું છું કે, સલામતી સાચા અર્થમાં એક સામુહિક ગતિવિધિ બની રહે તો જ આપણે, આપણને સૌને માટે લાભદાયી તેવી વૈશ્વિક વ્યવસ્થા ગોઠવી શકીશું. તે દ્વારા આપણે સામુહિક સલામતી સંબંધી સિદ્ધાંતોને ઉચ્ચ સ્થાને લઈ જઈ શકીશું.
ભારત હંમેશા બહુ આયામી નીતિમાં જ માને છે તેમં વિવિધ સ્તરે ચર્ચા- મંત્રણા કરી આપણા સૌ કોઈની સમૃદ્ધિ વધી શકે તેવા પગલા પણ લેવા સામુહિક પગલા લેવામાં પણ માને છે.
આઇપીઆરડી તે પ્રસ્તુત તેવા નૌકાયાન મુદ્દાઓ વિષે ચર્ચા કરવા દર વર્ષે યોજવામાં આવે છે. આ પ્રકારની આ ચોથી પરિષદ છે જે આ વર્ષે ભારતમાં યોજાઈ છે તેનો મુખ્ય હેતુ દ. ચીન સમુદ્રમાં ચીને સ્થાપેલી તેની એકહથ્થુ સત્તા તથા ઉત્તરે સી ઓફ જાપાન અને પૂર્વે ફીલીપાઇન સુધી ચીને ફેલાવેલા તેના સમુદ્રીય પંજાને લક્ષ્યમાં રાખી યોજાઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.