![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/11/011-6.png)
ગુપ્ત મતદાનથી મુ.મંત્રીનો નિર્ણય લેવા કહ્યું રાજસ્થાન કોગ્રેસમાં ફરી ધમાસાણ પાયલોટે
કોંગ્રેસમાં રાજસ્થાનની ધમાલ સમવાનું નામ લેતી નથી. મુખ્યમંત્રીની ખુરશી માટે ગેહલોત વિરુદ્ધ પાયલોટનો મામલો ચકરાવે ચઢ્યો છે. સચિન પાયલોટની રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સાથેની ‘ભારત જોડો’ યાત્રા દરમિયાનની તસ્વીર પ્રસિદ્ધ થયા પછી ફરી એકવાર અશોક ગેહલોતે ૂસચીન ઉપર ખુલ્લેઆમ હુમલો કરતા કહી દીધું છે કે તેઓ સચીન મુખ્યમંત્રી બને તે જોવા માગતા નથી તેની પાસે માત્ર ૧૦ વિધાયકોનું જ સમર્થન છે.
બીજી તરફ સચીન પાયલોટે કોંગ્રેસ હાઇકમાન્ડ પાસે માંગણી કરી છે કે રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદનો નિર્ણય માત્ર ગુપ્ત મતદાનથી જ થવો જોઈએ.
આ સાથે પાયલોટે કહ્યું કે, ગેહલોત કોઈ વાર ૧૦ તો કોઈવાર ૨૦ વિધાયકોના સમર્થનની વાત કરી મારું ધ્યાન બીજે વાળવા કોશિષ કરે છે.
આટલું જ નહિ પરંતુ સચીને તો હાઇકમાન્ડ સાથેની વાતચીતમાં ગેહલોતને ખુલ્લો પડકાર ફેંક્યો અને કહ્યું જો ગુપ્ત મતદાન થાય તો તેમાં ગેહલોતને સમર્થન નહીં જ મળે. સૂત્રો તેમ પણ જણાવે છે કે સચીન પાયલોટે હાઇકમાન્ડને એમ કહ્યું કે, જો બહુમત ગેહલોત તરફે જશે તો ફરી નેતૃત્વ પરિવર્તનની માંગ નહી કરે અને ગેહલોતના જ નેતૃત્વમાં ચૂંટણી માં જી-જાન પૂર્વક લાગી જશે તેમણે વધુમાં કહ્યું હતું કે, માત્ર અને માત્ર ગુપ્ત મતદાનનો નિર્ણય જ તેમને મંજૂર રહેશે. અશોક ગેહલોતે પણ તે મંજૂર રાખવો પડે તેમણે પણ કહ્યું કે ગેહલોત તેમનું ધ્યાન બીજે દોરવા ૧૦- ૨૦ વિધાયકોની વાત કરે છે પરંતુ સત્ય તે છે કે વિધાયકો કોની સાથે છે તે વાત છૂપી રહી શકતી નથી. હવે પક્ષના નેતૃત્વએ નિર્ણય કરવાનો છે.
તે સર્વવિદિત છે કે રાજસ્થાનમાં છેલ્લા કેટલાક મહીનાઓથી મુખ્યમંત્રીપદ માટે અશોક ગેહલોત અને સચીન પાયલોટ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે.