દરરોજ ભાત ખાતા હોય તો ચેતી જજો, નહિતર બીમારીઓને આપશો આમંત્રણ
અનાજ આપણા સ્વસ્થ આહારનો એક મહત્વપૂર્ણ ભાગ છે. વિવિધ પ્રકારના અનાજોમાં અલગ-અલગ પ્રકારના પોષક તત્વો હોય છે, જે શરીરને ઘણા લાભ આપે છે. ચોખા પણ એક અનાજ છે, જે સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક હોય છે.
વજન વધવુ
સફેદ ચોખા કેલેરી અને કાર્બોહાઇડ્રેટમાં હાઈ હોય છે, તેના વધુ સેવનથી વજન વધી શકે છે.
સફેદ ચોખાના વધુ સેવનથી બ્લડ શુગર લેવલ વધી શકે છે, જેનાથી ટાઇપ-2 ડાયાબિટીસનો ખતરો વધી જાય છે.
બીમારીનો ખતરો
સફેદ ચોખાના વધુ સેવનથી કોલેસ્ટ્રોલનું સ્તર વધી શકે છે, જેનાથી હાર્ટની બીમારીનો ખતરો વધી જાય છે.
સફેદ ચોખામાં પ્રોટીન, ફાઈબર અને અન્ય પોષક તત્વો કાઢી લેવામાં આવે છે. તેનું વધુ સેવન આ પોષક તત્વોની કમીનું કારણ બની શકે છે.
સફેદ ભાતને પચાવવા મુશ્કેલ થઈ શકે છે, જેનાથી પેટમાં ગેસ, સોજા અને કબજીયાત જેવી સમસ્યા થઈ શકે છે.