રસ્તાઓ પર ખાડાઓ જોવા મળશે તો કોન્ટ્રાક્ટર અને કંપની વિરુદ્ધ થશે કાર્યવાહી

ગુજરાત
ગુજરાત

મહારાષ્ટ્રમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુઆંક દિન પ્રતિદિન વધી રહ્યો છે, આ વર્ષે ઓગસ્ટ મહિના સુધી માર્ગ અકસ્માતમાં 228 લોકોના મોત થયા છે. આ મૃત્યુઆંકને રોકવા માટે, રાજ્યની નાગપુર પોલીસે હવે ઐતિહાસિક નિર્ણય લીધો છે. નાગપુર પોલીસ કમિશનરે આદેશ આપ્યો છે કે જો રસ્તા પરના ખાડા અકસ્માતનું કારણ બને છે, તો સંબંધિત માર્ગ નિર્માણ કંપની, સંબંધિત એજન્સી અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવશે અને તેમની સામે દોષિત હત્યાનો કેસ નોંધવામાં આવશે.

તમને જણાવી દઈએ કે ગત વર્ષે જિલ્લામાં માર્ગ અકસ્માતમાં 138 લોકોના મોત થયા હતા, પરંતુ આ વર્ષે માત્ર ઓગસ્ટ સુધીમાં જ 228 લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. આને ધ્યાનમાં રાખીને નાગપુર પોલીસે નિર્ણય લીધો છે કે રસ્તા પર વધી રહેલા અકસ્માતોની સંખ્યાને ધ્યાનમાં રાખીને, જો કોઈ વ્યક્તિ રોડ પર અકસ્માતનો ભોગ બને છે અને તેના માટે માર્ગ નિર્માણ કાર્ય જવાબદાર હોય છે, તો બાંધકામ કંપનીઓના માલિકો, કોન્ટ્રાક્ટરો અને સરકારી કર્મચારીઓને જવાબદાર ઠેરવવામાં આવશે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.