આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લામાં ભયાનક માર્ગ અકસ્માત, 6 લોકોના મોત
આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લામાં શુક્રવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના ક્રુતિવેન્નુ મંડલના સિતાનપલ્લી ગામમાં બની હતી. દુર્ઘટના વિશે માહિતી આપતા, માછલીપટ્ટનમના ડીએસપી સુભાનીએ જણાવ્યું હતું કે, “લાકડાના લોગ વહન કરતા ટ્રેક્ટરને ઓવરટેક કરતી વખતે મીની ટ્રક કન્ટેનરની લારી સાથે અથડાઈ હતી. પાંચ લોકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એકનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મોત થયું હતું.