ગંગાસાગર પહોંચ્યા ગૃહમંત્રી અમિત શાહ, કહ્યું- બંગાળ આવીને ‘નમામી ગંગે’ કાર્યક્રમ અટકી ગયો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસ બંગાળની મુલાકાતે છે. પહેલા દિવસે ગુરુવારે તેમણે કોલકાતામાં ભારત સેવાશ્રમ સંઘમાં પૂજા કરીને પોતાના કાર્યક્રમની શરૂઆત કરી. ત્યાર પછી તેઓ ગંગાસાગરના પહોંચ્યા છે. આ સાથે જ કાકદ્વીપમાં BJPની 5મી પરિવર્તન રેલીને લીલી ઝંડી દેખાડશે.

પશ્વિમ બંગાળમાં બે દિવસની મુલાકાતે ગયેલા ગૃહમંત્રી શાહ આજે ગંગાસાગર આવી ગયા છે. તેમણે આરોપ લગાવ્યો કે, ગંગોત્રીથી ગંગાસાગર સુધી નમામી ગંગે કાર્યક્રમ ચાલ્યો, પણ તે બંગાળ આવીને અટકી ગઈ. તેમણે કહ્યું કે, ભાજપની સરકાર બનશે તો નમામી ગંગે કાર્યક્રમ અહીંયા પણ ચાલશે. અહીંયાની સ્થિતિ જોઈને દુઃખ થાય છે.

તેમણે વધુમાં કહ્યું કે, મારા માટે સૌભાગ્યની વાત છે કે હું ગંગાસાગર તીર્થ પર છું. કપિલ મુનીનું આ મંદીર સદીઓથી સંરક્ષણનું પ્રતીક બની ગયું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.