દ્વારકામાં ભારે વરસાદને કારણે મકાન ધરાશાયી, 3 લોકોના મોત

ગુજરાત
ગુજરાત

 ગુજરાતના દ્વારકામાં ભારે વરસાદને કારણે મંગળવારે એક મકાનની ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ હતી. ત્યારપછી એનડીઆરએફની ટીમ દ્વારા સતત બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. હવે માહિતી સામે આવી છે કે બુધવારે (24 જુલાઈ) સવારે ઘરમાં હાજર 6 લોકોમાંથી 3ને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 3ના મોત થયા છે. ઘરનો કાટમાળ હટાવવા માટે જેસીબીની મદદ લેવામાં આવી હતી.

NDRF ઈન્સ્પેક્ટર બિપિન કુમારે જણાવ્યું હતું કે, ત્રણ માળની ઈમારત ધરાશાયી થવાની માહિતી મળતા જ NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જે બાદ મકાનમાં ફસાયેલા લોકોને કાટમાળમાંથી બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.