રાજયસભાની ચૂંટણીમાટે : ભાજપના ઉમેદવારો આવતી કાલે ફોર્મ ભરશે.

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

બીન હરીફ જાહેર થશે

ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની ખાલી પડેલી રાજ્ય સભા ની સીટો માટે જાહેર કરેલા બંને ઉમેદવારો આવતીકાલે બપોરે 12:39ના વિજય મૂહર્તમાં નામાંકન પત્ર ભરશે. ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની બેઠકો માટે પસંદ થયેલા રામભાઈ મોકરીયા અને દિનેશ પ્રજાપતિ રાજ્યસભાના ઉમેદવાર તરીકે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે આ બંને નેતાઓ આવતીકાલે ભાજપના પરંપરાગત વિજય મૂહર્તમાં નામાંકન પત્રક ભરવાની વિધિ સંપન્ન કરશે.

રાજસભાની ખાલી પડેલી બેઠકો માટે ભાજપે રામભાઈ મોકરીયા અને દિનેશ પ્રજાપતિને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે .ત્યારે આવતીકાલે આ બંને નેતાઓ વિજય મુહૂર્તમાં નામાંકન પત્ર ભરશે. ઉલ્લેખનીય છે કે આગામી પહેલી માર્ચે સવારે 9 થી 4 વાગ્યા સુધી રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે. જોકે બંને બેઠકોનું મતદાન પણ અલગ અલગ થશે અને તે જ દિવસે સાંજે 5:00 કલાકે મત ગણતરી યોજાશે. નોંધનીય છે કે ભારતીય જનતા પાર્ટીએ પસંદ કરેલા રામભાઈ મોકરીયા ભાજપના ખૂબ જૂના કાર્યકર્તા છે.જ્યારે દિનેશ પ્રજાપતિ પણ ડીસા ભાજપના અગ્રણી નેતાની હરોળમાં આવે છે. અને વર્ષોથી સંઘ સાથે જોડાયેલા રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ભાજપના દિગ્ગજ નેતા નીતિન ભારદ્વાજ ના અવસાન અને કોંગ્રેસના અહેમદ પટેલના અવસાનથી બે બેઠકો ખાલી પડી છે .જેના પરિપ્રેક્ષ્યમાં ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી યોજાઈ રહી છે. નોંધનીય છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ સભાના બે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે . પરંતુ કોંગ્રેસ દ્વારા હજુ સુધી રાજ સભાના ઉમેદવારની કોઈ જાહેરાત કરવામાં આવી નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.