ભારત આવતા વિદેશી પ્રવાસીઓ માટે 14 દિવસ હોમ કવોરન્ટાઇન ફરજીયાત

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

કોરોનાના નવા વેરીએન્ટને પગલે ભારતે નવા દિશાનિર્દેશ જાહેર કર્યા, વિમાનમાં પ્રસ્થાન પૂર્વે રજીસ્ટ્રેશન, કોરોનાનો નેગેટીવ રીપોર્ટ સહિતના નિયમો

દક્ષિણ આફ્રિકા અને બ્રાઝીલમાં કોરોનાના નવા વેરીએન્ટને જોતા કેન્દ્ર સરકારે વિદેશથી આવતા યાત્રીઓ માટે માનક સંચાલન પ્રક્રિયા (સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજન-એસઓપી) માં ફેરફાર કર્યો છે અને નવા દિશા નિર્દેશ જાહેર કર્યા છે.

કેન્દ્રીય નાગરીક ઉડ્ડયન મંત્રાલય તરફથી બુધવારે જાહેર આ એસઓપીમાં ભારત આવનાર આંતરરાષ્ટ્રીય યાત્રીઓ માટે નવા નિર્દેશો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ એસઓપી રર ફેબ્રુઆરી રાત્રે 11-59 મિનિટે લાગુ પડશે. આ એસઓપી બે ભાગમાં વહેંચાઇ છે. એ અને બી માં. પાર્ટ એમાં જાહેર દિશા નિર્દેશ બ્રિટન, યુરોપ અને મધ્ય પુર્વથી આવતી ઉડાનને બાદ કરતા ભારતમાં આવનારા દરેક આંતર રાષ્ટ્રીય યાત્રીઓ માટે છે. જયારે પાર્ટ બી માં આ સ્થળોથી આવતા-જતા બધા આંતરરાષ્ટ્રીય યાત્રીઓ માટે છે.

દિશા નિર્દેશ મુજબ ભારતમાં યાત્રાની યોજના બનાવતી વખતે નિયમોનું પાલન, વિમાન પર સવાર થતા પહેલા નિર્દેશોનું પાલન અને યાત્રા દરમ્યાન અને આગમન બાદ નીયમોનું પાલન કરવું પડશે. યાત્રીએ યાત્રા પહેલા એક સેલ્ફ ડેકલેરેશન અર્થાત સ્વ ઘોષણાપત્ર જમા કરાવવું પડશે. સાથે સાથે આરટી પીસીઆર નેગેટીવ રિપોર્ટ જમા કરાવવો પડશે. યાત્રીઓએ એ જાહેર કરવું પડશે કે આગમન બાદ યોગ્ય ટેકનોલોજી દ્વારા નિર્ધારિત ધોરણો મુજબ 14 દિવસમાં હોમ કવોરન્ટાઇનનું પાલન કરવાનું રહેશે. જાહેર થયેલા દિશા નિર્દેશોમાં એ લોકોને રાહત અપાઇ છે જે પોતાના પરિવારમાં કોઇ સભ્યના મૃત્યુના કિસ્સામાં ભારત આવતા હોય. આવા લોકોને નેગેટીવ આરટી પીસીઆર રીપોર્ટની જરુર નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.