કઠુઆ આતંકી હુમલામાં સેનાના પાંચ જવાન શહીદ, જાણો કોણ હતા તે બહાદુર વીર બાંકુરે?

ગુજરાત
ગુજરાત

સોમવારે (8 જુલાઈ) જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આતંકવાદીઓએ સેનાના વાહન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક જુનિયર કમિશન્ડ ઓફિસર સહિત 5 જવાનો શહીદ થયા છે. આ આતંકવાદી હુમલામાં ઘાયલ થયેલા પાંચ જવાનોને મોડી રાત્રે કઠુઆના બિલવર સામુદાયિક આરોગ્ય કેન્દ્રથી પઠાણકોટ સૈન્ય હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.

કઠુઆમાં પાંચ જવાનો શહીદ થયા

આતંકવાદીઓએ પહાડી પરથી ઓચિંતો હુમલો કર્યો અને પહેલા આર્મીની ટ્રક પર ગ્રેનેડ ફેંક્યો અને પછી સ્નાઈપર ગનથી ગોળીબાર કર્યો. સેનાએ પણ વળતો ગોળીબાર કર્યો, પરંતુ આતંકીઓ જંગલમાં ભાગી ગયા હતા. હાલ સેના આતંકીઓને શોધી રહી છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર હુમલામાં 3 થી 4 આતંકવાદીઓની સંડોવણી સામે આવી રહી છે. 

* જાણો પાંચ શહીદ જવાનો *

  1. નાયબ સુબેદાર આનંદ સિંહ
  2. હવાલદાર કમલ સિંહ
  3. એનકે વિનોદ સિંહ
  4. RFN અનુજ નેગી
  5. RFN આદર્શ નેગી

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.