મદરેસા 550 વર્ષ પુરાણા માં ઘૂસીને પૂજા કરવાના આરોપસર 9 સામે FIR, 4ની ધરપકડ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

કર્ણાટકના બીદર શહેરમાં આવેલા એક ઐતિહાસિક મદરેસામાં ઘૂસીને નારેબાજી કરવાના આરોપસર 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ મામલે 9 લોકો સામે કેસ દાખલ કર્યો છે અને અન્ય 5 લોકો ફરાર હોવાનું જણાવાઈ રહ્યું છે.
આ ઘટના 6 ઓક્ટોબરના રોજ મોડી રાતે 2:00 કલાકે બની હતી જાણવા મળ્યા મુજબ દશેરાના કાર્યક્રમ બાદ ટોળું મદરેસામાં ઘૂસી ગયું હતું અને સિંદૂર લગાવીને પૂજા પણ કરી હતી. કેટલાક તોફાની તત્વો સુરક્ષાકર્મીને ધમકાવીને, તાળું તોડીને પુરાતત્વ સ્મારક મહમૂદ ગવાં મદરેસા અને મસ્જિદમાં ઘૂસી ગયા હતા. જોકે પોલીસના કહેવા પ્રમાણે મસ્જિદમાં પ્રવેશવા માટે તાળું નથી તોડવામાં આવેલું.
આ ઘટના બાદ મુસ્લિમ સંગઠનોએ પ્રદર્શનો કરવાની ચીમકી આપી છે. તેમના કહેવા પ્રમાણે જો આરોપીઓની ધરપકડ નહીં કરવામાં આવે તો જુમ્માની નમાજ બાદ વ્યાપક વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ આ મામલે રાજ્યની ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે અને સરકાર મુસલમાનોને નીચા દેખાડવા માટે આવી ઘટનાઓને પ્રોત્સાહન આપતી હોવાનો આક્ષેપ કર્યો છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.