![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/11/adani-fire.png)
અદાણી ગ્રુપના રિફાઈન્ડ ગોડાઉનમાં લાગી ભીષણ આગ, કરોડોનું નુકશાન
- અદાણીની કંપનીમાં ભીષણ આગ લાગી
યુપીના સહારનપુરના બેહટ રોડ પર આવેલા રસૂલપુરમાં અદાણી ગ્રુપની કંપનીમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના બની હતી. આગ ઓલવવા માટે 4 જિલ્લા સહારનપુર, અમરોહા, મેરઠ અને મુઝફ્ફરનગરમાંથી ફાયર બ્રિગેડને બોલાવાયા છે. ફાયર ફાયટરો આગ ઓલવવા ભારે જહેમત ઉઠાવી હતી. કંપનીના CFO એ જણાવ્યું કે, તેલ-ઘીના વેરહાઉસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. વેરહાઉસમાં 60 કરોડથી વધુનો સામાન હતો, જે બળીને ખાખ થઈ ગયો છે.
પ્રાપ્ત વિગત અનુસાર દેહત કોતવાલી વિસ્તારના નઝીરપુરા ગામમાં અદાણી ગ્રુપનું ઘી, તેલ અને રિફાઈન્ડનું વેરહાઉસ છે. અહીંથી તેઓ સમગ્ર જિલ્લામાં સપ્લાય થાય છે. શનિવારે રાત્રે વેરહાઉસમાં આગ લાગી હતી. આગ જોઈ લોકોએ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગની ટીમોએ આગ ઓલવવાનું શરૂ કર્યું હતું પરંતુ તેલ અને રિફાઈન્ડના ડબ્બાઓમાં આગ લાગી હતી. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ભારે જહેમત બાદ ફાયર વિભાગની ટીમે રવિવારે સવારે લગભગ 10 કલાક બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
આગમાં 70 ટકા સામાન બળીને ખાખ થઈ ગયો છે. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે. સીએફઓ પ્રતાપ સિંહે જણાવ્યું કે આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. આ વેરહાઉસ અદાણી વિલ્મરના નામે છે. તેમણે કહ્યું કે ટીનનું માળખું નીચે પડવાને કારણે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં અવરોધો આવી રહ્યા છે. ટીન શેડ નીચે દટાયેલા ઘી તેલના ડબ્બામાં આગ લાગી છે.