દિલ્હીના નરેલામાં ફેક્ટરીમાં ભીષણ આગ, 3ના મોત; 6 લોકો ઘાયલ

ગુજરાત
ગુજરાત

 રાજધાની દિલ્હીના નરેલા ઔદ્યોગિક વિસ્તારમાં એક ફૂડ ફેક્ટરીમાં મોડી રાત્રે આગ લાગી હતી. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા જ્યારે 6 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ આગ લાગવાનું કારણ બોઈલરમાં બ્લાસ્ટ હોવાનું કહેવાય છે. આ મામલાની માહિતી આપતાં દિલ્હી પોલીસે કહ્યું કે ફૂડ ફેક્ટરીમાં લાગેલી આગમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ફેક્ટરી ભોરગઢ વિસ્તારમાં છે. રાત્રીના 3 વાગ્યાના સુમારે અચાનક કારખાનામાં બોઈલર ફાટતા આગ લાગી હતી.

નરેલા ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં એક ફેક્ટરીમાં લાગેલી આગમાં ત્રણ લોકોના મોત, છ ઘાયલ એવુ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. કાચો મૂંગ ગેસ બર્નર પર શેકવામાં આવ્યો હતો અને એક પાઇપલાઇનમાં ગેસ લીક ​​થવાને કારણે આગ ફેલાઈ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.