આજે દિલ્હી કૂચ કરવા ખેડૂતોની તૈયારી, સીમા પર જબરો સુરક્ષા બંદોબસ્ત

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

વાટાઘાટ માટે સરકારના આમંત્રણ છતા આંદોલનકારીઓ નિર્ણાયક મોદીના સંબોધનનો વિરોધ કરશે

દેશમાં આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના અન્નદાતા સંબોધન વચ્ચે કૃષી-કાનૂનના વિરોધમાં દિવસની ભાગોળે છેલ્લા 1 માસથી પડાવ નાખી ધરણા ચલાવી રહેલા હજારો ખેડૂતો આજે દિલ્હી કૂચ કરે તેવી શકયતા એ ધરણા સ્થળો પર જબરો સુરક્ષા બંદોબસ્ત લાદી દેવામાં આવ્યા છે અને હજારો ખેડૂતો કોઈપણ ભોગે આગળ વધી શકે નહી તે જોવા તંત્રને આદેશ અપાયા છે.

જો કે ખેડૂત સંગઠનો તેની દ્હિ કૂચ માટે પ્રતિબદ્ધ છે અને અલગ અલગ રણનીતિથી કામ કરી રહ્યા છે. હરિયાણા પંજાબમાંથી ખેડૂત નેતાઓ પણ દિલ્હીમાં આ સીમા પર પહોંચી ગયા છે અને હલ્લાબોલ થશે જ તેવો હુકમ કર્યો છે. યુપીમાં પીલીભીત અને બરેલી સહિતના સ્થળોથી હજારો ખેડૂતો સીમા ભણી આવી રહ્યા છે. ગઈકાલે ધરણા સ્થળે જે બેઠક મળી હતી તેમાં દિલ્હી કૂચ અંગે નિર્ણય લેવાયો હતો.. જો કે સરકારે ફરી એક વખત આંદોલનકારી ખેડૂતોને વાટાઘાટનું આમંત્રણ આપ્યું છે જેના પર પણ આજે નિર્ણય લેવાશે. બીજી તરફ દેશભરમાં ખેડૂત સંગઠનોએ વડાપ્રધાનના સંબોધન સમયે થાળી-નાદ કરવાનો નિર્ણય કર્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.