![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2021/02/taran-taran-protest-11614276425_1614309300.jpg)
કૃષિ કાયદા અંગે દુનિયાભરના ખેડૂતનેતાઓ આજે ઓનલાઇન ચર્ચા કરશે
કૃષિ કાયદા અંગે ખેડૂત સંગઠન 26 ફેબ્રુઆરીએ ગ્લોબલ લાઇવ વેબિનાર કરશે. આજે શુક્રવારે સવારે 9 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી થશે. વેબિનારમાં ‘ત્રણ કૃષિ કાયદાની ખેડૂતો પર અસર’ વિષય અંગે ચર્ચા થશે, જેમાં દુનિયાભરના ખેડૂતનેતાઓ અને ખેતીવાડી સાથે જોડાયેલા લોકોના સામેલ થવાનો દાવો કરવામાં આવ્યો છે.
આ વેબિનારમાં ભારતીય ખેડૂત સંગઠનના નેતા હાજર લોકોના સવાલોના જવાબ પણ ઓનલાઈન આપશે. ખેડૂત એકતા મોરચાએ સોશિયલ મીડિયા પર કાર્યક્રમની આખી માહિતી શેર કરી છે. વેબિનાર માટે કેલિફોર્નિયા, ન્યૂયોર્ક, મેલબર્ન અને બ્રિટનનો સમય પણ શેર કરવામાં આવ્યો છે. વેબિનારમાં સામાન્ય લોકો પણ સવાલ પૂછી શકે છે. રજિસ્ટ્રેશન માટે લિંક પણ શેર કરાઈ છે.
Making voices reach the masses, a ‘Global LIVE Webinar’ is being organized on 26th Feb; 9:00 AM-2:00 PM wherein various farm leaders worldwide will participate to bring out to actual impact of 3 Farm Bills Passed on farmers. To participate, click at: https://t.co/gV7UfloHpE pic.twitter.com/9bzYS44EZY
— Kisan Ekta Morcha (@Kisanektamorcha) February 22, 2021
ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું દિલ્હીની સરહદ પર આંદોલન ચાલી રહ્યું છે. આજે તમામ જગ્યાએ યુવા ખેડૂત દિવસની ઉજવણી કરાશે, જેમાં તમામ બોર્ડર પર ચાલી રહેલા ધરણાંના મંચ યુવાન ખેડૂતો સંભાળશે. ખેડૂતોએ સાત દિવસ સુધી અલગ અલગ દિવસ ઊજવવાનો નિર્ણય કર્યો છે.
કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તમોરે ગુરુવારે કહ્યું હતું કે અમે કૃષિ કાયદો લાગુ ન કરી શકીએ,કારણ કે મામલો સુપ્રીમ કોર્ટમાં છે. કૃષિ કાયદા અંગે સુપ્રીમ કોર્ટની બનાવાયેલી કમિટીએ પોતાના ફીડબેક નથી આપ્યા. અત્યારસુધી અમે ખેડૂતો સાથે 12 વખતની વાતચીત કરી છે. હાલ પણ અમે ખેડૂતો સાથે કોઈપણ સમયે વાતચીત કરવા માટે તૈયાર છીએ.