ચીનમાં ભૂકંપે મચાવી તબાહી, 111 લોકોનાં મોત
ચીનના ગાંસુમાં સોમવારે મોડી રાત્રે આવેલા ભૂકંપે ભારે તબાહી મચાવી છે. આ ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 110થી વધુ લોકોના મોત થયા છે જ્યારે 300થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. 6.2ની તીવ્રતાના આ ભૂકંપના જોરદાર આંચકાને કારણે અનેક મકાનો અને રસ્તાઓને નુકસાન થયું હતું. ગાંસુ ઉપરાંત કિંઘાઈ પ્રાંતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ગાંસુ અને કિંઘાઈના ઘણા વિસ્તારોમાં વીજળી અને ફોન લાઈનો ખોરવાઈ ગઈ છે. બંને જગ્યાએ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. ભૂકંપના કારણે થયેલા ભારે વિનાશ બાદ ગાંસુ અને કિંઘાઈમાં 100થી વધુ એમ્બ્યુલન્સને ઘટના સ્થળે મોકલવામાં આવી છે. આ સિવાય એટલી જ સંખ્યામાં મેડિકલ સ્ટાફ મોકલવામાં આવ્યો છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ વિનાશ પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે શક્ય તમામ મદદની ખાતરી આપી છે.