દિલ્હી-હરિયાણા બોર્ડર પાસે ખેડૂતોનું પ્રદર્શન યોજાયુ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દિલ્હી-હરિયાણા બોર્ડર પર ટીકરી નજીક ફરીએકવાર ખેડૂતોએ પ્રદર્શન શરૂ કર્યું છે.જેમાં તેઓ લોન માફી અને ખેડૂતો પર નોંધાયેલા કેસો પરત લેવાની માંગ મુદ્દે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે.જેને લઈ બોર્ડર પર મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે.આ ઉપરાંત સંયુક્ત કિસાન મોર્ચાએ 11 ડિસેમ્બરના રોજ સિંધુ બોર્ડર પર રાજીવ ગાંધી એજ્યુકેશન સિટી પાસે શ્રદ્ધાંજલિ સમારોહનું આયોજન કર્યું છે,જેમાં તેઓ ખેડૂત આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપશે.આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હરિયાણા,પંજાબ,રાજસ્થાન,ઉત્તરપ્રદેશ,દિલ્હી સહિતના રાજ્યોના ખેડૂતો તેમજ શહિદ ખેડૂતોના પરિવારજનો ભાગ લેશે.આ આંદોલન રાકેશ ટિકૈતના નેતૃત્વમાં શરૂ કરવામાં આવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.