લોકતંત્રની વાત : મોદીએ કહ્યું- જમ્મુ-કાશ્મીરમાં DDCની ચૂંટણીથી લોકતંત્રના મૂળ મજબૂત થયા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ કાશ્મીરમાં આયુષ્માન ભારત PM જય સેહત યોજનાની શરૂઆત કરી. વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાનારા આ પ્રોગ્રામમાં ગૃહમંત્રી અમિત શાહ અને જમ્મુ કાશ્મીરના ઉપ-રાજ્યપાલ મનોજ સિન્હા પણ સામેલ છે. આ યોજના હેઠળ જમ્મુ-કાશ્મીરના તમામ લોકોને પાંચ લાખ રૂપિયાનું હેલ્થ ઈન્સોયરન્સ કવર મળશે.સ્વાસ્થ્યના આ કાર્યક્રમમાં મોદીએ લોકતંત્ર, કાશ્મીરના વિકાસ પર વાત કરવાની સાથે જ વિરોધીઓ પર પણ પ્રહાર કર્યા.

તેમણે કહ્યું કે, હું જમ્મુ-કાશ્મીરના લોકોને લોકતંત્રના મૂળ મજબૂત કરવા માટે શુભેચ્છા પાઠવું છું. ચૂંટણીના દરેક તબક્કામાં જોઈ રહ્યો હતો કે કોરોના અને ઠંડી હોવા છતા મહિલાઓ અને વૃદ્ધોએ લાઈનમાં ઊભા રહીને મતદાન કર્યું. હું તેમની આંખોમાં ભૂતકાળ પાછળ મૂકીને શ્રેષ્ઠ ભવિષ્યનું જોઈ શકતો હતો. જમ્મુ કાશ્મીર પ્રશાસને જે રીતે ટ્રાન્સપરેન્ટ રીતે ચૂંટણી કરાવી, આ વાત જ્યારે અહીંથી સાંભળું છું તો લોકતંત્ર પર વિશ્વાસ મજબૂત થઈ જાય છે.

ત્યારપછી મોદીએ યોજનાનો લાભ લેનાર સાથે વાત કરી. તેમણે કહ્યું કે, આજે મને જમ્મુ-કાશ્મીરના બે લાભાર્થીઓ પાસેથી તેમના અનુભવ સાંભળવાની તક મળી. જેમના માટે અમે કામ કરીએ છીએ, તેમના પાસેથી સંતોષનો સ્વર સાંભળવા મળે તો ગરીબો માટે વધુ મહેનત કરવા માટે આ શબ્દો ઘણી શક્તિ આપે છે. આપ સૌની વાત સાંભળીને સારુ લાગ્યું. તમામ સુવિધાઓ દરેક લોકો સુધી પહોંચે તે અમારી સરકારનો વાયદો છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.