કોરોના વેક્સિન વોરઃ બિહાર પછી તામિલનાડુ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ કરી આ જાહેરાત

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

કોરોના વાયરસને રોકવા માટે હજુ સુધી કોઇ અસરકારક વેકસીન શોધાઇ નથી. કોરોના વેક્સીનને લઇને હજુ સુધી કેન્દ્ર સરકારે કોઇ પણ પ્રકારની જાહેરાત કરી નથી. આમ છતા દેશમાં ચૂંટણીને ધ્યાનમાં લઇને કોરોના વેક્સીનને મફત પવાની જાહેરાતો શરુ થઇ ગઇ છે. સૈથી પહેલા બિહાર ભાજપ દ્વારા જે ઘોષણા પત્ર જાહેર કરવામાં આવ્યું તેમાં બિહારના લોકોને મફતમાં કોરોના વેક્સીન આપવાનું વચન આપ્યું હતું. ત્યારબાદથી જ વિપક્ષી દળો અને અન્ય લોકોએ તેનો વિરોધ શરુ કર્યો છે. વાત ચૂંટણી પંચમાં ફરિયાદ સુધી પહોંચી છે.

આ બંને રાજ્યોના સીએમએ કરી જાહેરાત

આ બધા વચ્ચે તામિલનાડૂના મુખ્યમંત્રી કે. પલાનીસ્વામીએ પણ રાજ્યના લોકોને મફતમાં કોરોના વેક્સીન આપવાની જાહેરાત કરી છે. ત્યારબાદ હવે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જાહેરાત કરી છે કે દેશમાં જેવી કોઇ કોરોના વેક્સીન આવશે, રાજ્યના લોકોને મફત આપવામાં આવશે.

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે મારા પ્રદેશવાસીયો, કોવિડ 19થી તમને બચાવવા માટે અનેક પ્રભાવી પગલા ભર્યા છે. આજે કોરોના સંપૂર્ણ રીતે નિયંત્રિત છે. ભારતમાં કોરોનાથી બચવા માટે વેક્સીન બનાવવાનું કામ ચાલી રહ્યું છે. દેશમાં જેવી કોઇ કોરોના વેક્સીન આવશે, મધ્ય પ્રદેશના દરેક નાગરિકને મફતમાં આપવાંમાં આવશે. કોરોના વેક્સીનને લઇને આવા નિવેદનો ઉપર રાજકિય ગરમાવો જામ્યો છે. રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસી નેતાઓ ભાજપ સરકાર પર હૂમલો કરી રહ્યા છે. તો અન્ય બિહારના વિપક્ષી દળો દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.