![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/04/975corona-virus-getty.jpg)
કોરોના ઈન્ડિયા : અત્યાર સુધી ૨૩,૨૩૪કેસ,મૃત્યુઆંક ૭૨૫
રખેવાળ, નવી દિલ્હી.
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૨૩ હજાર ૨૩૪થઈ છે અને ૭૨૫ લોકોના મોત થયા છે. શુક્રવારે પશ્વિમ બંગાળમાં ૫૮, રાજસ્થાનમાં ૩૬ અને ઓરિસ્સામાં એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ આંકડા covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી મળેલી માહિતી પ્રમાણે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં સંક્રમિતોની સંખ્યા ૨૩૦૭૭ છે. જેમાંથી ૧૭૧૬૦ની સારવાર ચાલી રહી છે, ૪૭૪૯ સાજા થયા છે અને ૭૧૮ના મોત થયા છે.