![CORONA IN INDIA](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/06/ભરૂચમાં-વધુ-8-કેસ.jpg)
કોરોના બેકાબુ : ૨૪ કલાકમાં ૨૩ હજાર કેસ, ૪૮૨ના મોત થયા
ન્યુ દિલ્હી : કોરોના વાઇરસ હવાથી પણ ફેલાય છે એવા ૨૦૦ કરતાં વધારે વિજ્ઞાનીઓના દાવાને વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબ્લ્યુએચઓ) ના સમર્થનના પગલે આ રોગના સક્રમણ સામે વધુ અસરકારક રણનીતિના વૈશ્વિક મંથન વચ્ચે ભારતમાં કોરોનાના કેસો અનરાધાર વરસાદની જેમ વધી રહ્યાં હોય તેમ સતત પાંચમા દિવસે ૨૦ હજાર કરતાં વધારે અને છેલ્લાં ૨૪ કલાકમાં ૨૩,૧૩૫ જેટલા કેસો નોંધાયા હતા. આ સાથે વધુ ૪૮૨ લોકોના મોત થયા હતા. અનલોક-૨માં અપાયેલી વધુ છૂટછાટને કારણે કેસો વધ્યા હોવાના અનુમાન વચ્ચે જ્યાં સૌથી વધારે કેસો નોંધાયા તે મહારાષ્ટÙ મુંબઇમાં આજે ૮ જુલાઇથી લોકડાઉનના નિયમોના પાલન સાથે હોટલ અને લોજ ખૂલ્લા મૂકાયા હતા.