દલિતોને પણ એસસીનો દરજ્જો આપવા વિચારણા,ઇસ્લામ-ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હોય તેવા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ધર્માંતરણ કર્યું હોય તેવા દલિતોને પણ એસસીનો દરજ્જો આપવામાં આવે તેવી માગણી ઉઠી રહી છે. આ સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ કે જી બાલાક્રિષ્નની આગેવાનીમાં એક કમિશનની રચના કરી છે. જે હવે ધર્માંતરણ કર્યું હોય તેવા દલિતોને પણ એસસીનો દરજ્જો આપવા અંગે વિચારણા કરશે.
નોંધનીય છે કે બંધારણના (એસસી) ઓર્ડર મુજબ જે દલિતો હિન્દુ, શિખ અથવા બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલા હોય તેમને જ એસસીનો દરજ્જો આપવામાં આવે છે. જ્યારે મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હોય તેવા દલિતોને આ દરજ્જો આપવામાં નથી આવતો. જેને પગલે હાલ મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મ પાળનારા દલિતો દ્વારા પણ એસસીના દરજ્જાની માગણી કરવામાં આવી છે.
જોકે અત્યાર સુધી ભાજપ દ્વારા આ માગણીનો વિરોધ કરવામાં આવતો રહ્યો છે. પણ હવે કેન્દ્ર સરકાર દ્વારા એક કમિશનની રચના કરવામાં આવી છે જેમાં ત્રણ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સભ્યોના નામ નિવૃત્ત આઇએએસ અધિકારી રવિન્દ્ર કુમાર જૈન, યુજીસીના સભ્ય અને પ્રોફેસર સુષ્મા યાદવ છે. જ્યારે સુપ્રીમ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ કેજી બાલાક્રિષ્નનો પણ સમાવેશ કરાયો છે અને તેમને આ કમિશનની આગેવાની સોપવામાં આવી છે.
સરકારના નોટિફિકેશનમાં દાવો કરવામાં આવ્યો છે કે એસસી સમાજના લોકો અન્ય કોઇને પણ એસસી સમાજમાં સમાવેશ કરવાનો વિરોધ કરે છે. તેમનામાં એવો ડર છે કે અન્ય લોકોનો સમાવેશ કરવાથી તેમને જે એસસીનો દરજ્જો મળ્યો છે તેના પર અસર થઇ શકે છે. હાલ માગણી અને વિરોધ વચ્ચે સરકારે કમિશનની રચના કરી છે જે દરેક મુદ્દાઓ પર ધ્યાન આપીને પોતાનો રિપોર્ટ સરકારને સોપશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.