બિહારના મુખ્ય સચિવ અરૂણ કુમાર સિંહનું કોરોનામાં નિધન

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

કેબીનેટ સમયે જ મુખ્યમંત્રી નીતિનકુમારને જાણ કરાઇ

દેશમાં કોરોનામાં અનેક સેલિબ્રિટીઓ પણ હોમાઇ રહ્યા છે તે સમયે દિલ્હીમાં કોરોના કામગીરીનું નેતૃત્વ કરનાર રાજયના મુખ્યસચિવ અરૂણ કુમારસિંહહનું આજે કોરોના સંક્રમણને કારણે મૃત્યુ થયુ હતું. રાજયમાં હજુ ગત સપ્તાહે આરોગ્ય વિભાગના અધિક સચિવ રવિ શંકર ચૌધરીનું કોરોનામાં અવસાન થયું હતું. ત્યારબાદ હવે રાજયના સૌથી ઉચ્ચ અધિકારી પણ કોરોનામાં આજે અંતિમ શ્ર્વાસ લીધા છે.

આજે બિહારમાં મુખ્યમંત્રી નીતિશકુમારના અઘ્યક્ષપદ હેઠળ કેબીનેટ મીટીંગ ચાલુ હતી તે સમયે તેમને અધિક મુખ્ય સચિવ અરૂણ કુમારસિંહના નિધનના સમચાર આપ્યા હતા અને કેબીનેટે શ્રઘ્ધાંજલી આપી હતી. બિહારમાં અગાઉ બે આઇએએસ અધિકારીઓ પણ કોરોનામાં મૃત્યુ પામ્યા છે. અમણકુમારસિંહ 198પ બેચના બિહાર કેડરના આઇએએસ અધિકારી હતાી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.