કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે એચ.આર.એના નિયમો બદલાયા
સરકારે કેટલાક કર્મચારીઓના હાઉસ રેન્ટ એલાઉન્સ પર કાપ મૂક્યો છે.આ સાથે નિયમોને ટાંકીને આવા કર્મચારીઓને એચ.આર.એ આપવાનો ઇનકાર કર્યો છે.આમ હાઉસ રેન્ટ એલાઉન્સ પગારનો મહત્વપૂર્ણ ભાગ છે એટલું જ નહીં એચ.આર.એ પર ટેક્સ છૂટ આપવામાં આવે છે.જેમાં નવા નિયમો લાગુ થયા બાદ દેશના લાખો કર્મચારીઓ હાઉસ રેન્ટ એલાઉન્સનો લાભ મેળવી શકશે નહીં.બજેટ સત્ર પહેલા નાણા મંત્રાલયે ઘરભાડા ભથ્થાના નિયમોમાં ફેરફાર કર્યા છે,આગામી સમયથી જો કોઈ કેન્દ્રીય કર્મચારી પાસે સરકારી આવાસ હોય તો મહાનગરપાલિકા,પોર્ટ ટ્રસ્ટ,રાષ્ટ્રીયકૃત બેંક,એલઆઈસી વગેરે દ્વારા ફાળવવામાં આવેલ મકાન આપ્યું છે તો આવા કર્મચારીઓ હાઉસ રેન્ટ એલાઉન્સ મેળવવા માટે હકદાર નથી અને એટલે જ આ કર્મચારીઓને તાત્કાલિક અસરથી એચ.આર.એ બંધ કરવામાં આવશે એટલું નહીં જો પતિ-પત્ની બંનેની સરકારી નોકરી હોય તો અને જો કોઈ એકને સરકારી આવાસ મળે છે તો બંનેનું મકાન ભાડું ભથ્થું બંધ થઈ જશે.