સાવધાન! હૈદરાબાદમાં રખડતા કૂતરાઓનો ત્રાસ, 11 વર્ષનાં બાળક પર હુમલો કરતા ઘટનાસ્થળે મોત

ગુજરાત
ગુજરાત

હૈદરાબાદથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાંગારેડ્ડી જિલ્લાના પટંચેરુમાં રખડતા કૂતરાઓએ છ વર્ષના છોકરા પર હુમલો કર્યો હતો. બાળક ડમ્પ યાર્ડ પાસે શૌચ કરી રહ્યો હતો ત્યારે કૂતરાઓએ તેના પર હુમલો કર્યો. બાળકના માતા-પિતા બિહારના રહેવાસી છે અને બંને મજૂર છે. બાળકનું નામ વિશાલ છે. કુતરાએ હુમલો કરતા ઘટનાસ્થળે બાળકનું મોત નીપજ્યું હતું. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા જ હૈદરાબાદના મણિકોંડામાં એક મહિલા જ્યારે મોર્નિંગ વોક માટે નીકળી હતી ત્યારે તેના પર કૂતરાઓના ટોળાએ હુમલો કર્યો હતો.

12 વર્ષમાં કુતરાનાં હુમલાથી 11 લોકોનાં મોત  

તમને જણાવી દઈએ કે તાજેતરના દિવસોમાં તેલંગાણામાં રખડતા કૂતરાઓ પર હુમલાની ઘટનાઓ વધી રહી છે. છેલ્લા 12 મહિનામાં કૂતરાઓના હુમલામાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે. ઈસ્નાપુરમાં જ્યાં વિશાલના માતા-પિતા કામ કરે છે ત્યાં એક કન્સ્ટ્રક્શન સાઈટ પાસે કૂતરાઓના ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. સવારે સાડા છ વાગ્યાના સુમારે રખડતા કૂતરાઓ તેના પર ધસી આવ્યા ત્યારે તે એકલો હતો. તેના માતા-પિતા સ્થળ પર પહોંચ્યા ત્યાં સુધીમાં વિશાલનું મોત નીપજ્યું હતું. પોલીસે જણાવ્યું કે છોકરાના માતા-પિતા બિહારથી હૈદરાબાદ આવ્યા હતા.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.