ભાજપના મુસ્લિમ નેતાએ સનાતન ધર્મને સર્વશ્રેષ્ઠ ગણાવ્યો, પ્રભુ શ્રી રામ જ આપણાં પયગંબર હતાં
ઉત્તર પ્રદેશના અલીગઢના ભાજપના નેતા રુબી આસિફ ખાને ફરી એકવાર અજીબોગરીબ નિવેદન આપ્યું છે. રુબી આસિફ ખાને કહ્યું કે, તે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પ્રબુદ્ધ સંમેલનથી હિન્દુ મુસ્લિમ એકતાને બળ મળશે. ઘણા બધાં મુસ્લિમો આ જાહેરસભામાં સામેલ થવા ગયા હતા. તેમણે કહ્યું કે, હવે મુસ્લિમ સમુદાયના લોકો સમજે છે કે, ભગવાન શ્રીરામ જ અમારા પયગંબર હતા, રુબીએ કહ્યું કે, સનાતમ ધર્મ સર્વશ્રેષ્ઠ ધર્મ છે. યોગી આદિત્યનાથના આગમથી પ્રબુદ્ધ સંમેલનમાં મુસ્લિમ સમાજના લોકને જય શ્રીરામના નારા લગાવ્યા હતા.
જય શ્રીરામની ગુંજ સાંભળીને તે પણ ખુશ છે. રુબીએ કહ્યું કે, જે હિન્દુ મુસ્લિમ એકતાની મિસાલ બની છે. તેને આજે મુસ્લિમ સમાજના લોકો ધીમે ધીમે સમજતા થયાં છે. તેમણે કહ્યું કે, હિન્દુ મુસ્લિમ બધાં એક જ છે. સનાતમ ધર્મ જ એક ધર્મ છે, જ્યાં બધા લોકો હિન્દુ હતા. મુસલમાન બનીને અલગ આવેલા બધાએ એ માની લેવું જોઈએ કે, આપણા બધાં એક જ છીએ, કોઈ મુસ્લિમ નથી, કે ન કોઈ સાથે ભેદભાવ થવો જોઈએ અને આજે આ મુસલમાન લોકો જાણી ગયા છે. આપણા પયગંબર હતા તે શ્રીરામ હા બીજૂ કોઈ નહીં.
રુબીએ આગળ કહ્યું કે, અમુક લોકોને સમજાયું છે કે, કોઈ ભેદભાવ નથી અને બધા એક જ છે. આ હિન્દુસ્તાન છે, સૌએ હળી મળીને રહેવું જોઈએ. ભારતનું નામ રોશન કરવાનું છે. હું બસ એવું ઈચ્છું છું જે મને જોવા મળ્યું છે. બધું આવી જ રીતે ચાલતું રહે. આ બધી વાતોને લઈને કટ્ટરપંથીઓના ટાર્ગેટ પર તો હું પહેલાથી જ છું અને આ મુલ્લા ટાઈપના લોકો છે અને તેમના ટાર્ગેટ પર છું અને રહીશું, તેનાથી હું ડરવાની નથી.
તેમણે આગળ કહ્યું કે, હું ભગવાન અને અલ્લાહને માનું છું અને હંમેશા માનતી રહીશ. કાયમ નમાઝ અને પૂજા કરતી રહીશ. આ અગાઉ પણ લોકોએ મારી વિરુદ્ધ ફતવો જાહેર કરી ચુક્યા છે અને મારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી ચુક્યા છે. મારા અને મારા પરિવારને કંઈ પણ થઈ શકે છે. મારા તરફથી અગાઉ પણ પ્રશાસને આ અંગે લેખિતમાં ફરિયાદ કરી છે, પણ હજૂ સુધી મને કે મારા પરિવારને કોઈ સુરક્ષા નથી મળી.