સાંસ્કૃતિક પોલિસિંગનો આરોપ ભાજપનો નીતીશ સરકાર પર

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

બિહાર ભાજપે નીતીશકુમાર સરકાર પર પોતાની રાજકીય વિચારધારાના વિરોધ કરનારા કલાકારોને રાજ્યમાં સ્ટેજ પર દેખાવ કરવાથી રોકી સાંસ્કૃતિક પોલિસીંગ કરવાનો આરોપ મૂક્યો હતો.
રાજ્ય ભાજપના પ્રવક્તા નિખિલ આનંદે એક નિવેદનમાં દાવો કર્યો હતો કે ઉત્તર પ્રદેશની એક કવિ અનામિકા જૈન અંબરને પ્રસિદ્ધ સોનપુર મેળામાં તેમને છંદો પઢવાથી રોકવામાં આવ્યા હતાં.
આ આરોપને ફગાવી દેતા રાજ્યના કળા અને સાંસ્કૃતિક પ્રધાન જિતેન્દ્રકુમાર રાયે જણાવ્યું હતું કે સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરનારાઓના નામની યાદીમાં અનામિક જૈન અંબરનું નામ ક્યારેય સામેલ ન હતું.
ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યાનાથ માટે લખવા માટે જાણીતા અંબર દ્વારા સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા પછી વિવાદ ઉભો થયો હતો. જેમાં તેમણે આરોપ મૂક્યો હતા કે કવિતા પઠન કરવાની તેમની મંજૂરી વહીવટી તંત્ર દ્વારા ૧૧ કલાકમાં પરત લઇ લેવામાં આવી હતી.
તેમણે જણાવ્યું હતું કે હું રામધારી સિંહ દિનકરની જમીન પર પ્રસ્તૃતિ આપવાની તકથી વંચિત રહેવા બદલ ખૂબ જ દુઃખી છું.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.