બજેટમાં ખેડૂતોને મોટી ભેટ: 16.5 લાખ કરોડની કૃષિ લોનની જાહેરાત

Business
Business

આવતા વર્ષે ખેડૂતોની આવક ડબલ કરવાનો સરકારનો દાવો:મોદી સરકારે 15 લાખ કરોડનું લક્ષ્ય રાખેલું પરંતુ કૃષિ કાનૂન મામલે ખેડૂતોના વિરોધ બાદ મહત્વનો ફેસલો

આમ બજેટમાં દેશના ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને મોટી ભેટ આપી છે. સરકારનો દાવો છે કે આવતા વર્ષ સુધીમાં દેશના ખેડૂતની આવક બે ગણી થઈ જશે. નાણામંત્રીએ ખેડૂતને તેમના રોકાણથી દોઢ ગણુ વધુ આપવાના પ્રયાસની જાહેરાત કરી છે.બજેટમાં સરકારે કૃષિ લોનની લિમીટ વધારી દીધી છે. આ વખતે ખેડૂતોને 16.5 લાખ કરોડ સુધીની લોન આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. બજેટમાં સરકારે પશુપાલન, ડેરી અને માછલી પાલન સાથે જોડાયેલા ખેડૂતોની આવક વધારવા પર ફોકસ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે સરકારે વર્ષ 2020-21 માટે 15 લાખ કરોડ રૂપિયાની કૃષિ લોનનું લક્ષ્ય રાખ્યું હતું, આ વખતે કૃષિ કાયદાના વિરોધમાં દેશમાં જે માહોલ બન્યો છે તેને જોતા મોદી સરકારનો ફેસલો મહત્વનો માનવામાં આવે છે. નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે દેશમાં ઘઉં ઉગાડનારા ખેડુતોની સંખ્યા બે ગણી થઈ ગઈ છે, ઘઉંની એમસપી દોઢ ગણી કરી દેવાઈ છે. ઉલ્લેખનીય છે કે નાણામંત્રીએ કૃષિક્ષેત્ર પર ચર્ચા કરતા કહ્યુું કે સરકાર કિસાનોને સમર્પિત છે તો સંસદમાં હંગામો શરૂ થઈ ગયો હતો અને વિપક્ષે કૃષિનો કાળો કાયદો પાછો ખેંચવાની માંગ સાથે નારા લગાવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.