નવરાત્રી પહેલાં રેલવેએ ભક્તોને વૈષ્ણોદેવી જવાની તક આપી, 15 ઓક્ટોબરથી ફરી નવી દિલ્હી અને કટરા વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ શરૂ થશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ભારતીય રેલવેએ નવી દિલ્હીથી વૈષ્ણોદેવી કટરા વચ્ચે દોડનારી માટે વંદે ભારત એક્સપ્રેસ ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેન ફરી 15 ઓક્ટોબરથી દોડશે. આ ટ્રેન- ટ્રેન નંબર 22439/22440 હેઠળ ચાલશે. નવરાત્રીમાં વૈષ્ણોદેવીની મુલાકાત લેનારા ભક્તોને ધ્યાનમાં રાખીને આ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નવી દિલ્હી-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ મંગળવાર સિવાય અઠવાડિયાના બધા દિવસોમાં ચાલશે. નવી દિલ્હી રેલવે સ્ટેશનથી આ ટ્રેન સવારે 6 વાગ્યે ઊપડશે અને બપોરે 2 વાગ્યે શ્રી માતા વૈષ્ણોદેવી કટરા રેલવે સ્ટેશન પહોંચશે. રિટર્નમાં આ ટ્રેન શ્રી માતા વૈષ્ણોદેવી કટરાથી બપોરે 3 વાગ્યે ઊપડશે અને રાત્રે 11 વાગ્યે આ ટ્રેન નવી દિલ્હી રેલવે સ્ટેશન પહોંચશે. રસ્તામાં આ ટ્રેન અંબાલા કેન્ટ, લુધિયાણા અને જમ્મુ તાવી રેલવે સ્ટેશને રોકાશે.

નવી દિલ્હીથી કટરા સુધીની એસી ચેર કારનું ભાડું 1,630 રૂપિયા હશે, જ્યારે મુસાફરોને એક્ઝિક્યુટિવ કારમાં મુસાફરી કરવા માટે 3,015 રૂપિયા ખર્ચ કરવા પડશે. કટરાથી નવી દિલ્હી સુધીનું ભાડું એસી ચેર કારમાં 1,570 રૂપિયા અને એક્ઝિક્યુટિવ ચેર કારમાં 2,965 રૂપિયા હશે.

17 ઓક્ટોબરથી ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસ ફરીથી શરૂ કરવામાં આવશે. ટ્રેન સીટનું બુકિંગ 8 ઓક્ટોબરથી શરૂ થઈ ગયું છે. તેજસ ટ્રેન લખનઉ-નવી દિલ્હી અને અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડશે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.