સોશિયલ મીડિયા પર લિંક્સ પર ક્લિક કરતી વખતે સાવચેત રહેવું

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

સોશિયલ મીડિયા પર લિંક્સ પર ક્લિક કરતી વખતે સાવચેત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે. છેતરપિંડી કરનારાઓ નિર્દોષ લોકોને નિશાન બનાવવા માટે વિવિધ યુક્તિઓ અપનાવી રહ્યા છે. તેનું તાજેતરનું ઉદાહરણ એક વાયરલ મેસેજ છે, જેના દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર દર મહિને બેરોજગારોને ભથ્થું આપવા જઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ માટે એક યોજના પણ શરૂ કરી દેવામાં આવી છે. આ સમાચાર નકલી છે.

મેસેજ વાયરલ: સોશિયલ મીડિયા પર લિંક સાથેનો એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સરકારે બેરોજગારો માટે એક સ્કીમ શરૂ કરી છે. વાયરલ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, ‘પ્રધાનમંત્રી બેરોજગાર ભથ્થું યોજના. સરકાર બેરોજગાર યુવાનોને દર મહિને 3500 રૂપિયા આપશે. આ વાયરલ પોસ્ટની સાથે એક લિંક પણ શેર કરવામાં આવી છે અને લોકોને રજીસ્ટ્રેશન કરવા માટે કહેવામાં આવ્યું છે.

મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, ‘પ્રધાનમંત્રી બેરોજગાર ભથ્થું યોજના 2022 માટે નોંધણી શરૂ થઈ ગઈ છે. આ યોજના હેઠળ બેરોજગાર યુવાનોને દર મહિને 3500 રૂપિયા આપવામાં આવશે. તમારા મોબાઇલ પરથી આ લિંક પર ક્લિક કરીને હમણાં જ નોંધણી કરો.

પીઆઈબીએ આ દાવાને ખોટો ગણાવ્યો : એક્સ પર કહ્યું, ‘ભારત સરકાર દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી. કોઈપણ શંકાસ્પદ લિંક પર ક્યારેય ક્લિક કરશો નહીં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.