હિંસાની આગમાં સળગ્યું બાંગ્લાદેશ, 4,500 થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ ભારત પરત ફર્યા
બાંગ્લાદેશમાં હિંસક અથડામણ વચ્ચે 4,500 થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ ઘરે પરત ફર્યા છે. આ અથડામણમાં 100 થી વધુ લોકો માર્યા ગયા છે. વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે નેપાળમાંથી 500, ભૂતાનથી 38 અને માલદીવમાંથી એક વિદ્યાર્થી પણ ભારત પહોંચી ગયા છે.
મંત્રાલયે કહ્યું કે બાંગ્લાદેશમાં ભારતીય હાઈ કમિશન ભારતીય નાગરિકોની સુરક્ષા માટે સ્થાનિક અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. “અત્યાર સુધીમાં, 4,500 થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ ઘરે પરત ફર્યા છે,” મંત્રાલયે જણાવ્યું હતું. હાઈ કમિશન ભારતીય નાગરિકોની બોર્ડર એન્ટ્રી પોઈન્ટ સુધી સુરક્ષિત મુસાફરી માટે વ્યવસ્થા કરી રહ્યું છે.