![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/12/VCXVV-960x640-1.jpg)
બંગાળમાં કૈલાસ વિજયવર્ગીય પર થયેલા હુમલા બાદ સુરક્ષામાં કર્યો વધારો, આપવામાં આવી Z પ્લસ સુરક્ષા
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. આવું એટલા માટે કરવામાં આવ્યુ છે કે, હાલના દિવસોમાં જ બંગાળમાં જેપી નડ્ડાના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હો. આ હુમલામાં વિજયવર્ગીયની ગાડી પર પથ્થરાઓ ફેંકવામાં આવ્યા હતા, જેમાં તેમના હાથ પર ઈજાઓ પણ થઈ હોવાની વાતો વહેતી થઈ હતી. હુમલા બાદ તેમણે ચેક કરાવ્યુ તો, તેમના હાથમાં લિગામેંટ ફ્રેક્ચર થઈ ગયુ છે. આ હુમલા બાદ હવે ભાજપના મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. તેમને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી છે.
બંગાળમાં આગામી સમયે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જ્યાં ભાજપના પ્રભારી તરીકે વિજયવર્ગીય સતત ભાજપનો મોર્ચો સંભાળી રહ્યા છે. તથા રાજ્યમાં પાર્ટીની સ્થિતીને વધારે મજબૂત બનાવવા માટે લાગી ગયા છે. નડ્ડાના કાફલા પર હુમલો થયા બાદ ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત કેટલાય મોટા મંત્રીઓએ મમતા સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાજ્યપાલે પણ આ અંગેનો રિપોર્ટ ગૃહમંત્રાલયને સોંપ્યો છે.