આસામમાં સુરતની સાડી પર પ્રતિબંધથી કરોડોનું નુકસાન જોવા મળ્યું

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

સુરતમાં પોલિએસ્ટરમાંથી બનતી મેખલા સાડી પર આસામ સરકારે પ્રતિબંધને લઈને સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગકારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.ત્યારે આ બાબતને લઈને સાકેત ગ્રુપ દ્વારા બીજેપી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલને રજૂઆત કરી હતી.દિવાળી પહેલાથી જ ટેક્સટાઈલ ઉદ્યોગ મંદીમાં ઘેરાઈ ચૂક્યો છે,જેમાં લગ્ન સિઝન પણ ફેઈલ ગઈ હતી.આમ આસામની સિલ્કની પરંપરાગત સાડી મેખલા સુરતના વેપારીઓ દ્વારા પોલિએસ્ટરમાંથી બનાવવામાં આવે છે.ત્યારે આ સાડીને આસામ સરકારે બેન પ્રતિબંધ કરી દીધી છે.જેથી સુરતના ઉદ્યોગકારોને આર્થિક ફટકો પડવાની સંભાવના છે.આસામ સરકાર દ્વારા સુરતમાં ઉત્પાદિત થતી મેખલા ચાદર સાડી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમ કહ્યું હતું.આમ આ પ્રતિબંધને કારણે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને રૂ.3 હજાર કરોડથી વધુનું નુકશાન થઇ રહ્યુ છે.આમ આસામ અને ગુજરાત બંન્ને રાજયમાં ભાજપની સરકાર હોવાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસામના મુખ્યમંત્રી સાથે વાટાઘાટો કરીને સમસ્યાનો ઉકેલ લાવે તેવી માંગ કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.