અખિલેશ યાદવની મોનસુન ઓફર, ‘100 લાવો સરકાર બનાવો
UP: લોકસભા ચૂંટણી 2024ના પરિણામ બાદથી જ યુપીનું રાજકારણ ચર્ચાનો વિષય બન્યો છે. લગભગ 10 વર્ષ સુધી સારું પ્રદર્શન કર્યા બાદ 2024માં ભાજપાને યુપીમાં ઝટકો લાગ્યો છે. જ્યારે સમાજવાદી પાર્ટીએ લોકસભા ચુંટણીમાં ખુબ જ સારું પ્રદર્શન કર્યું છે. જો કે, હવે સપાનાં અધ્યક્ષ અને યુપીનાં પૂર્વ સીએમ અખિલેશ યાદવ સતત સીએમ યોગી આદિત્યનાથની સરકાર પર હુમલો કરી રહ્યા છે. અખિલેશે એક એવું નિવેદન આપ્યું છે જેમાં યુપીમાં રાજકીય અટકળો શરુ થઇ ગઈ છે.
અખિલેશની મોનસુન ઓફર
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને કન્નોજ લોકસભા સીટનાં સાંસદ અખિલેશ યાદવે સોશિયલ મીડિયા “X” પર મોન્સુન ઓફર વિષે એલાન કર્યું છે. અખિલેશ યાદવે મોનસુન ઓફરને લઈને કહ્યું કે – “મોનસુન ઓફર: સો લાવો, અને સરકાર બનાવો!” હવે અખિલેશનાં આ નિવેદન વિષે અલગ-અલગ અટકળો ચાલી રહી છે. જો કે, કેટલાંક લોકો તો કહી રહ્યા છે કે અખિલેશ સીએમ યોગીની સરકારને પાડવા માંગે છે.