![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/07/action.png)
એક્શનનો સંકેત! રક્ષા મંત્રી રાજનાથ સિંહે આર્મી ચીફને આપી આતંક વિરુદ્ધ કાર્યવાહી કરવાની ખુલ્લી છૂટ
જમ્મુ-કાશ્મીરના ડોડામાં સેના અને આતંકીઓ વચ્ચે મોટી અથડામણ થઈ છે. આ અથડામણમાં સેનાના એક અધિકારી સહિત 4 જવાનો શહીદ થયા છે. તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં તાજેતરમાં થયેલા આતંકી હુમલામાં સેનાના 5 જવાન શહીદ થયા હતા. હવે સરકાર આ મોટી ઘટનાઓ પર કડક પગલા લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. મળતી માહિતી મુજબ રક્ષા મંત્રી રાજનાથ સિંહે આર્મી ચીફ સાથે વાત કરી છે અને મામલાની નોંધ લીધી છે. એવા અહેવાલ છે કે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આર્મી ચીફને આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરવાની છૂટ આપી છે.