ઇન્ડીયન આર્મીની મોટી કાર્યવાહી, ભારતમાં ઘુસણખોરી કરી રહેલા બે આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા
છેલ્લા ઘણા દિવસોથી જમ્મુ-કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે સતત એન્કાઉન્ટરના અહેવાલો સામે આવી રહ્યા છે. આતંકવાદીઓ એલઓસી પાર કરીને ભારતમાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે ભારતીય સેનાએ આતંકવાદીઓની યોજનાને નિષ્ફળ બનાવી દીધી છે. 18 જુલાઈના રોજ સેનાએ કાશ્મીરના કેરન સેક્ટરમાં એલઓસી પાર કરીને ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. ચાલો જાણીએ ભારતીય સેનાના આ ઓપરેશન વિશે.
આ રીતે થયો આતંકવાદીનો સામનો
વાસ્તવમાં, ભારતીય સેનાના સતર્ક સૈનિકોએ એલઓસીની ભારતીય બાજુ પર ગીચ ઝાડીઓ વચ્ચે બે આતંકવાદીઓની હિલચાલ જોઈ હતી. જ્યારે આતંકીઓને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો તેઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. આ પછી બંને તરફથી ઘણી ગોળીઓ ચલાવવામાં આવી. આ સમગ્ર ઓપરેશનમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. સેનાએ માર્યા ગયેલા આતંકવાદીઓની તસવીરો પણ જાહેર કરી છે. આ તસવીરમાં બે આતંકીઓ જમીન પર મૃત હાલતમાં પડેલા જોવા મળે છે.
Tags army india Rakhewal Terrorists