વૈષ્ણોદેવી જઈ રહેલા 9 ભક્તોની થઈ હતી હત્યા, NIAએ કરી મોટી કાર્યવાહી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ગત જૂનમાં જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં વૈષ્ણો દેવી જતા શ્રદ્ધાળુઓની બસ પર આતંકી હુમલો થયો હતો. આ આતંકવાદી ઘટનામાં 9 શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને 41 લોકો ઘાયલ થયા હતા. હવે NIAએ આ મામલે મોટી કાર્યવાહી કરી છે. માહિતી અનુસાર, NIAએ ટેરર ફંડિંગના મામલે રાજ્યમાં 7 સ્થળો પર દરોડા પાડ્યા છે. જેમાં શિવ ઘોડી મંદિરથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની બસ પર આતંકવાદી હુમલાનો મામલો પણ સામેલ છે.

રાજૌરી અને રિયાસી જિલ્લામાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યા

NIAએ શુક્રવારે જમ્મુ-કાશ્મીરના રાજૌરી અને રિયાસી જિલ્લામાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ કહ્યું છે કે શિવ ઘોડી આતંકી હુમલાના સંદર્ભમાં શુક્રવાર સવારથી રાજૌરી અને રિયાસી જિલ્લામાં અનેક ટીમો દરોડા પાડી રહી છે. તેમણે કહ્યું કે NIAનું ઓપરેશન હજુ ચાલુ છે અને આ મામલે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

શું છે સમગ્ર મામલો?

9 જૂને આતંકવાદીઓએ વૈષ્ણોદેવી જઈ રહેલા ભક્તોથી ભરેલી બસ પર હુમલો કરીને ગોળીબાર કર્યો હતો. આ આતંકવાદી હુમલામાં સાત શ્રદ્ધાળુઓ સહિત નવ લોકો માર્યા ગયા હતા અને 41 અન્ય ઘાયલ થયા હતા. શિવ ઘોડી મંદિરથી કટરા જતી બસ અંધાધૂંધ ગોળીબારના કારણે રિયાસીના પૌની વિસ્તારના તેરાયથ ગામ પાસે રોડ પરથી લપસી ગઈ અને ઊંડી ખાઈમાં પડી ગઈ. ગૃહમંત્રી અમિત શાહે 17 જૂને આ આતંકી હુમલાની તપાસની જવાબદારી NIAને સોંપી હતી.

આતંકવાદીઓના મદદગારની ધરપકડ

અત્યાર સુધી, રાજૌરીના એક વ્યક્તિ હકમ ખાન, જેણે કથિત રીતે આતંકવાદીઓને ખોરાક, આશ્રયસ્થાન અને લોજિસ્ટિક્સ પૂરા પાડ્યા હતા અને હુમલા પહેલા વિસ્તારની જાસૂસીમાં મદદ કરી હતી, તેની રિયાસીમાં યાત્રાળુઓની બસ પર આતંકવાદી હુમલાના સંબંધમાં ધરપકડ કરવામાં આવી છે. મદદ કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.